દશા સુધારે છે (ગઝલ)

દુખભરી જિન્દગી ગુજારે છે-

લાગણીથી જેઓ વિચારે છે!

 

જેને ઠોકર પગોમાં વાગી છે-

એ બધા હાથને પ્રસારે છે.

 

મુફલિસીનુંય પેટ કેવું છે!

ટંક થઈ જાય ને પધારે છે!

 

એમ પસ્તાય છે દુખો દઈને-

જાણે મારી ગઝલ મઠારે છે.

 

દુખની ફરિયાદ હું નથી કરતો,

ફક્ત કહું છું કે એ વધારે છે.

 

છે દુઆની જ એક આશ ‘જલાલ’

કે દુઆ તો દશા સુધારે છે. (૨૦૦૩)

(‘ખૅરિયત’ પાનઃ ૧૪૫)

One Comment

  1. 1

    સરસ ગઝલ ગમી


RSS Feed for this entry

Leave a Comment