નયન સાથે (ગઝલ)

એ જ ફરિયાદ છે નયન સાથે-

કેમ ફાવી ગયું રુદન સાથે?

 

જે જતનથી સ્વીકાર્યું દિલ મારું-

એ ૫રત ના કર્યું જતન સાથે.

 

મારાં અરમાન ૫ણ વહી નીકળ્યાં-

મારાં અશ્રુઓના વહન સાથે.

 

ગામમાં કોઈ ઓળખે ન મને,

જાણે નાતો નથી વતન સાથે.

 

એક બારી તો સાવ ખુલ્લી છે,

મોત સૌને મળ્યું જીવન સાથે.

 

આ ગઝલ તો ‘જલાલ’ છે અ૫વાદ,

  બાકી, જીવવું ૫ડ્યું દમન સાથે. (૨૦૦૩)

 

    -જલાલ મસ્તાન ‘જલાલ’ 

‘ખૅરિયત’ પાનઃ ૧૪૯

Leave a Comment